વાયુ ને હંફાવવા બળના કરે – ચિનુ મોદી (ઈર્શાદ) September 20, 2007
Posted by Bhavin Gohil in ચિનુ મોદી (ઈર્શાદ).trackback
વાયુ ને હંફાવવા બળના કરે
એ સુગંધી છે, કદી છળ ના કરે
પુષ્પ પર ડાઘો પડે એ બીક થી
જીવવાની જીદ ઝાકળ ના કરે
સ્વપ્નને સંકેલવાની બાબતે
ઊંઘતો માણસ ઊતાવળ ના કરે
ખૂબ ઘેરી ને ગહન છે લાગણી
એ ઝરણાંની જેમ ખળ-ખળ ના કરે
ક્રોધ તો કરતો નથી “ઈર્શાદ” પણ
ના ગમે તો વાત આગળ ના કરે !
!!~~ ચિનુ મોદી (ઈર્શાદ) ~~!!
very nice…!
so gooood……………