તારા વિચાર તારી ગઝલમાં ભરીશ નહીં – ચિનુ મોદી (ઈર્શાદ) September 22, 2007
Posted by Bhavin Gohil in ચિનુ મોદી (ઈર્શાદ).trackback
તારા વિચાર તારી ગઝલમાં ભરીશ નહીં
એ ઝાંઝવા છે, ઝાંઝવે ઝાઝું તરીશ નહીં
તું પુષ્પોનો અવતાર છે એવું ગણી લઈ
આ ખૂબ ગમતાં બાગથી જોજે ખરીશ નહીં
જ્યાંથી અહીં આવ્યો હતો એ કઈ હતી જગા ?
એ યાદ આવે તોય તે પાછો ફરીશ નહીં
જે કોઇ છે સ્વજન તે મને વહાલ કરે છે
એ સૌની પાસે યાદી છે : આ આ કરીશ નહીં
“ઈર્શાદ” તારો વાંક છે, તારી જ ભૂલ છે
જેને અને તેને હૃદયમાં સંઘરીશ નહીં
!!~~ ચિનુ મોદી (ઈર્શાદ) ~~!!
Bhavin bhai
Give us more of such beautyful poems.
તારો વાંક છે, તારી જ ભૂલ છે
જેને અને તેને હૃદયમાં સંઘરીશ નહીં
Its mingbloing line Bhavin.
Hads of to you Dear