એમ ના સમજો કે મારાથી જીરવાયું નહીં - નાઝિર દેખૈયા October 24, 2007
Posted by Bhavin Gohil in અન્ય...trackback
એમ ના સમજો કે મારાથી જીરવાયું નહીં
પણ તમારું હેત મારી આંખમાં સમાયું નહીં
એમને જોયા પછીની આ દશા કાયમ રહી
કોઈપણ વાતાવરણમાં મન પરોવાયું નહીં
તેં અગમચેતીનું ગાણું મુજને સંભળાવ્યા કર્યું
વિશ્વના ઘોંઘાટમાં મુજને જ સંભળાયું નહીં
ઝાંઝવાં પાછળ ભટકનારની શી હાલત થઈ !
બે કદમ પાણી હતું, તરસ્યાંથી દોડાયું નહીં
મેં જ મારી આંખથી જોઈ છે મારી અવદશા,
એક મારું મોત બસ મારાથી જોવાયું નહીં
કોણ જાણે શું કરી બેઠા તમે મુજ દિલ મહીં ?
કે મસીહાથીયે મારું દર્દ પરખાયું નહીં
!!~~ નાઝિર દેખૈયા ~~!!
excellent
dard-e-daastan !!
dard jirvayu nahi ……..!!
‘મેં જ મારી આંખથી જોઈ છે મારી અવદશા,
એક મારું મોત બસ મારાથી જોવાયું નહીં
Bahot Khub kahi !
તમારી આ ગઝલ પર અમે સૌ ફિદા ફિદા.
ઝાંઝવાં પાછળ ભટકનારની શી હાલત થઈ !
બે કદમ પાણી હતું, તરસ્યાંથી દોડાયું નહીં
ખૂબ સરસ.
તેં અગમચેતીનું ગાણું મુજને સંભળાવ્યા કર્યું
વિશ્વના ઘોંઘાટમાં મુજને જ સંભળાયું નહીં
ekdam sachchi vaat… aapaNa badhane maate!
nice gazal…
માણી રહ્યાઁ છો આજે ગઝલો થઇ સૌ આનઁદ વિભોર
’નાઝિર’!કારણ શુઁ બતાવુઁ ? એ તો છે શબરીના બોર.
‘નાઝિર’ દેખૈયા
‘નાઝિર’(નૂરમોહંમદ)દેખૈયા દર્દીલા શાયર હતા.એક સમાન્ય શરણાઈ વાદક કે બેંડ માસ્તરના વારસાગત વ્યવ્સાય માં રહી ઉત્ત્મ કવિતાઓ લખી અને તરન્નુમથી ગાઈ.એમન જિવન _કવન પરિચ્ય માટે’બઝમે વફા, http://www.bazmewafa.wordpress.com/ નીચેના URL પર કલીક કરવા વિનંતી.
http://bazmewafa.wordpress.com/2007/02/28/naazir-dekhaiya/
નાઝિર દેખૈયા જીવન ,કવન
Let us say /nazir,Dekhaiyani Gazal par aapne feeda.
વિશ્વના ઘોંઘાટમાં મુજને જ સંભળાયું નહીં
khub saras
નાઝિર દેખૈયાની ઉત્તમ ગઝલોમાંની આ એક… અહીં પીરસવા બદલ આભાર…
શોધુ છુ એક અકાશ ક્ષિતિજની પેલે પાર,
મળવા કેરી આશ વિરહને પેલે પાર,
કહી શકુ જો વાત શબ્દોની પેલે પાર,
પકડે જો તુ હાથ જવાય જીવનને પેલે પાર.
khuba j saras naam apyu chhe…vachi ne agad line umerava mann thayu to thodi gustakhi kariii…hope u like…
http://arzewafa.wordpress.com/2007/10/29/fool-karmayunnaheen-wafa/
bhavinbhai
aaje fari vanchi fari lakhya vina rahevayu nahi
kharekhar khub j saras……….!!